લોકજીવનનાં વણેલા મોતી
આજે જ અમારા જુના દર્દી આવ્યા.એમના મમ્મી એટલે દાદી અમારા કાયમી દર્દી ઉંમર હશે લગભગ 80 વર્ષ કરતા વધારે.ઘણીવાર ગંભીર હાલતમાં એમનો જીવ પણ બચાવવાનો થયો.થોડાવખત પહેલા તે દાદી અવસાન પામેલ.તો એમની દીકરીએ આજે આવીને 5-10-20-50 ની નોટ આપી દીધી.આશ્ચર્યચકિત નજરે હજુ હું હજુ કંઈ સમજુ વિચારું તે પહેલા એમણે તાત્કાલિક હુકમ કર્યો કે નિરવભાઈ તમારે આ રૂપિયા રાખવાના છે.મેં હજુ વિચારો માંથી બહાર આવીને પૂછ્યું કે પણ છે શું આ?ત્યાં જણાવ્યું કે આ બા જતાં પહેલા એમની બચત આપી ગયેલા કે આ પોયરાએ કાયમ મારી બો સેવા કયરી.ને જયારે હોય ત્યારે કોઈને કોઈના હારું કંઈ મદદ કરતો જ રેઇ.એને જ્યાં વાપરવા અહે તાં વાપરહે.કોઈ ગરીબને આપશે કે જે કરહે તે,પણ તમારે કહેવાનું કે માઈની છેલ્લી ઈચ્છા હતી અને માઈ પોયરાની બો યાદ કરતી ઉતી.
ઘણીવાર લાગણીશીલ સ્નેહીજનો કહેતા હોય છે કે તારામાં દોડવાનો આટલો ઉત્સાહ ક્યાંથી આવતો હોય છે?પરંતુ જયારે પણ ભાગદોડથી થાક લાગે ત્યારે કુદરત હંમેશા મારા માટે ઉર્જાનું કિરણ મોકલી આપતી હોય છે.
અંતે
આનંદ ત્યાં નથી કે જ્યાં ધન મળે...પણ
આનંદ ત્યાં છે કે જ્યાં મન મળે...
લેખ અક્ષરસઃ ડૉ.નિરવ પટેલ
0 Comments