ખેરગામ તાલુકામાંથી ઓવરસ્પીડમાં પસાર થતાં ભારે વાહનચાલકોને લીધે થઇ રહેલા અકસ્માત બાબતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

 






તા-૨૨-૦૮-૨૦૨૨નાં રોજ ડૉ.નિરવ પટેલની ટીમ દ્વારા સમસ્ત આદિવાસી સમાજ, ખેરગામ તાલુકા પ્રમુખ મિન્ટેશ પટેલના નેજા હેઠળ ખેરગામ મામલતદાર,પી.એસ.આઈ, સરપંચને ખેરગામ તાલુકામાંથી ઓવરસ્પીડમાં પસાર થતાં ભારે વાહનચાલકોને લીધે થઇ રહેલા અકસ્માતોને લઈને સામાન્ય ગરીબ પ્રજાજનો અને રાહદારીઓને જાનમાલના થઇ રહેલા નુકસાનને પગલે તાત્કાલિક કાર્યવાહી કરી ખાસ કરીને ક્વોરીના વાહનોને ગતિમર્યાદા નિર્ધારિત કરી રહેઠાણવાળા ગ્રામ્ય વિસ્તારોમાં વાહનો ધીમે હંકારવા દિશાનિર્દેશ કરતી જાહેર નોટિસ બહાર પાડવા અને તમામે તમામ ટ્રક ડ્રાઈવર એસોસિએસન અને ટ્રકમાલિક એસોસિએસન સુધી આ સંદેશો પહોંચાડવા લેખિતમાં જણાવ્યું હતું.થોડા દિવસ પહેલા જ એક ડમપર સાથે ટક્કરમાં એક 30 વર્ષીય આશાસ્પદ યુવાને પોતાના બાળકની છઠ્ઠીના દિવસે પોતાનો જીવ ગુમાવ્યો. હવે આવા અકસ્માતો નહીં બને તે માટે માર્ગ વિભાગ અધિકારીને પણ ઠેર ઠેર ગતિમર્યાદા દર્શાવતા બોર્ડ તાકીદે મુકવા આગ્રહ કરવામાં આવ્યો.

જો તંત્ર દ્વારા આ બાબતે કડક પગલાં નહીં લેવાય તો પ્રજાજનો કાયદો હાથમા લેશે અને એના લીધે જે કંઈપણ અવ્યવસ્થા સર્જાસે તેના માટે માત્ર અને માત્ર તંત્ર જ જવાબદાર રહેશે તેવી ચેતવણી પણ આપી હતી.


આ ઉપરાંત રાજસ્થાનમાં જાતિગત હિંસાનો ભોગ બનેલ નાનકડા બાળક ઇન્દ્ર મેઘવાળ માટે અગાઉ 15/8/22ના રોજ એક સાંજ વ્યસનમુક્ત દેશને નામ  કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ યાત્રા કાઢેલ ત્યારે તમામ જ્ઞાતિના આગેવાનોની હાજરીમા બાબાસાહેબ આંબેડકર સર્કલ પર મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પિત કરેલ હતી અને હવે આરોપી છૈલસિંહને કડકમાં કડક ઉદાહરણરૂપ સજા થાય અને ભવિષ્યમાં બીજા જાતિવાદી તત્વો આવો જાતિવાદ કરવાની હિંમત નહીં કરે તે માટે પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.

ઈમેજ સ્રોત : દિવ્યભાસ્કર ન્યૂઝ




Post a Comment

0 Comments