તા -૨૫-૦૮-૨૦૨૨નાં રોજ ડૉ.નિરવ પટેલ ટીમ સાથે બીલીમોરાના દેસરા ખાતે જ્યાં રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલી ગરીબ વસ્તીમાં પહોંચ્યા હતા. જ્યાં આઝાદીના અત્યાર સુધીના વર્ષોમાં આવેલી સૌથી ભયાનક રેલ કે જેણે લાખો લોકોની જિંદગી તહેસનહેસ કરી નાખી અને પૂર ઓસર્યાના આટલા દિવસ પછી પણ જિંદગી સામાન્ય નથી બની. એક એવા પરિવારને ત્યાં જ્યાં માતા ઘરકામ, પિતા મજૂરીકામ અને પુત્ર સ્કૂલબસ ચલાવી ગુજરાન ચલાવે છે, એક એવા પરિવારને ત્યાં કે જ્યાંના આસપાસના પરિવારોએ પણ જિંદગીના 6 વર્ષ વીજળી વગર વિતાવ્યા છે(વિચારજો કે માત્ર 6 કલાક જ વીજળી ન હોય તો આપની હાલત શું થાય?? તો આતો 6વર્ષોની વાત છે) એક એવા પરિવારને ત્યાં જેમણે દુર્ઘટનાના 15 જ દિવસ પહેલા લોન લઈને ઘર સરખું કરાવ્યું હતું, એક એવો પરિવાર કે જેણે લાચારીવશ રેલ્વે બ્રિજ પરથી ઉભા ઉભા પોતાના આખા ઘરને ડુબતું અને આખી જિંદગીની મહેનતમાંથી કમાયેલી થોડીઘણી ધનરાશિ અને ઘરવખરી પૂરના પાણીમાં પત્તાના મહેલની માફક ધસી જતી જોઇ.
આવી અસામાન્ય સ્થિતિની જાણ ડૉ.નિરવ પટેલની ટીમને હિમાંશુભાઈ પટેલ અને સ્વસ્તિક પટેલ અને મહિલા કોર્પોરેટર રૂપાબેન પરમાર થકી થતાં તેઓ પહોંચ્યા હતા. ડૉ.નિરવ પટેલના ટીમના સભ્યો મિન્ટેશ પટેલ, ઉમેશ પટેલ, દલપત પટેલ, મિલન પટેલ, જીતેન્દ્ર પટેલ,ડો.કૃણાલ, કીર્તિ પટેલ,મયુર, કાર્તિક,પ્રિન્સ,નિમેષ,અક્ષીત, હર્ષ, ભાવેશ, ભાવિન, રીંકેશ અને નાનકડી નિદિવા. ત્યાં જઈને આશરે 15-20 દિવસ ચાલે એટલું અનાજ કરિયાણું અને બીલીમોરા આદિવાસી સમાજ તરફથી પતરાનો સેડ મુકવા ધનરાશીની સહાય આપવામાં આવી.
કોઈપણ અંગત લાભ કે રાજકીય લાભ વગર ડૉ.નિરવ પટેલની ટીમ જે કામ કરી રહી છે એ ખૂબ જ સરસ અને ઉમદા કામ છે. જે આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે.
0 Comments