ખેરગામનાં સેવાભાવી અને આદિવાસી સમાજના હિતેચ્છુ ડૉ.નિરવ પટેલ દ્વારા કપરાડા તાલુકાના છેક મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ ખાબવેરી ગામમાં વાસી ખોરાક ખાવાથી ફૂડ પોઈઝન થકી મૃત્યું પામનારા 2 બાળકીના પરીવારને સહાય કરવામાં આવી.

 






નવસારી જીલ્લાના  આદિવાસી સમાજના યુવા પ્રમુખ ડો. નિરવ  પટેલ સાહેબ અને ખેરગામ તાલુકાના આદિવાસી સમાજના યુવા પ્રમુખ એવા મિન્ટેશ પટેલ અને આખી ટીમ કપરાડા તાલુકાના છેક મહારાષ્ટ્ર ની બોર્ડર પર આવેલ ખાબવેરી ગામમાં મુલાકાત લીધી હતી. અને થોડાક સમય પહેલા વાસી ખોરાક ખાવાથી ફૂડ પોઈઝન થકી મૃત્યું પામનારા 2 બાળકીના પરીવારની મુલાકાત લીધી અને પરીવારનુ દુઃખ વ્યક્ત કરી સાંત્વના આપી હતી. અને પરીવારને 2 મહિના ચાલે એટલું રાશન આપ્યું તેમજ અન્ય વસ્તુઓ પણ આપવામાં આવી અને પરીવાર સાથે વાતચીત કરી અને ડો.નિરવ પટેલ સાહેબ દ્વારા અન્ય મિત્રોને પણ મદદરૂપ થવા અપીલ કરી હતી...

અને સાથે સાથે ત્યાં રાત્રિ દરમિયાન ચાલી રહેલ જન્માષ્ટમી મહોત્સવમાં પણ હાજરી આપી અને ત્યાંના લોકોનો પ્રેમભાવ જોઈ સૌ ભાવુક થયા હતા.

સ્રોત : facebook 


Post a Comment

0 Comments