ખેરગામના પ્રોફેસર નિરલ પટેલે તેમના પુત્ર ક્રિશવનો જન્મ દિવસ સરકારી શાળાનાં ગરીબ બાળકો સાથે ઉજવ્યો.

           


તારીખ ૦૫-૦૯-૨૦૨૨નાં દિને પ્રો.નિરલ પટેલના પુત્ર ક્રિશવનાં ચોથા જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે  પોતાના પરિવારજનો સહિત, ખેરગામ તાલુકા સમસ્ત આદિવાસી  સમાજના હોદ્દેદારો ડૉ. નિરવ પટેલ, કીર્તિ પટેલ,જીતેન્દ્ર પટેલ દ્વારા ડાંગ જિલ્લાના ઉત્તરભાગમાં આવેલ "ભાલખેત" ગામમાં આવેલ શાળાની મુલાકાત લીધી હતી. તે વિસ્તારના બાળકો ગરીબીના કારણે નોટબુક ખરીદવી મુશ્કેલ હોય છે.જેના કારણે તેમને તમામ ગૃહકાર્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્વાધ્યાય પુસ્તિકા અથવા પાઠ્યપુસ્તકમાં જ કરવું પડતું હોય છે. એક શુભ વિચાર સાથે ચિરંજીવ ક્રિશવના જન્મદિવસ પર  નોટબુક, પેન્સિલ,ચોકલેટ, કેક,બિસ્કિટ આપી શાળાના બાળકોની ખુશીમાં પ્રો.નિરલ પટેલ, તેમના પરિવારજનો અને તેમના સાથીમિત્રોને  સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગ માટે ડૉ. નિરવ પટેલ પાસે  સોમવારે દર્દીઓનો ધસારો તેમજ ઓપરેશનનાં કારણે સ્થળ પર પહોંચતા ઘણું મોડું થવા છતાં  શિક્ષકોનો ઘણો સારો સહકાર રહ્યો હતો. નાના નાના બાળકોએ પોતાની કાલીઘેલી બોલીમાં ગીતો ગાઈને દીકરા ક્રિશવને આશિર્વાદ આપ્યા હતા. એ ક્ષણ સૌથી હૃદયસ્પર્શી હતી. ગર્વ છે,  નિરલ -મયુર  ભાઈઓ અને એમના સેવાભાવી પરિવાર તેમજ ડૉ.નિરવ પટેલની સમગ્ર ટીમ પર. જે રૂપિયાના બિનજરૂરી વેડફાટ કરવા કરતા સતત શિક્ષણ,આરોગ્ય,જનજાગૃતિ સહિતના વિવિધ મુદ્દાઓમાં લોકસેવાના કાર્યો કરીને લોકહૃદયમાં મજબૂત સ્થાન પ્રાપ્ત કરી રહી છે.                 "આર્થિક સક્ષમ પરિવારો કદાચ બધા જ આવી રીતે વિચારતા થશે તે દિવસે કોઈ બાળકો શિક્ષણથી વંચિત રહેશે નહિ."  જે વાત ડૉ. નિરવ પટેલે તેમના સોશ્યલ મીડિયા દ્વારા જણાવી હતી. 




Post a Comment

0 Comments