આજે ગાંધી જ્યંતી છે.153 મો જન્મદિવસ
તા-02/ઓક્ટોબર-2022-રવિવાર
ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે, તેમનો જન્મ દિવસ દર વર્ષની ૨જી ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વસ્તુત: ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે.
- પુરું નામ:મોહનદાસ કરમચંદ ગાંધી હતું.
- ગાંધીજીની જન્મ તારીખ:02/10/1869
- જન્મ સ્થળ : પોરબંદર- ગુજરાત રાજ્ય
- માતાનું નામ : પુતળીબાઈ ગાંધી હતું.
- પત્નીનું નામ : કસ્તુરબા ગાંધી હતું.
- ગાંધીજીના લગ્ન 13વર્ષની ઉંમરે થયા હતા.
- પ્રા.શિ.રાજકોટ ગામડાની શાળામાં લીધું.
- ભાવનગર શામળદાસકોલેજ શિક્ષણલીધું.
- બાપુના ધાર્મિક ગુરુ: શ્રીમદ્દ રાજચંદ્ર હતા.
- રાજકિય ગુરુ:ગોપાલકૃષ્ણ ગોખલે હતા.
- અંગત સચિવ :મહાદેવભાઈ દેસાઈ હતા.
- 1917-માં હરિજન આશ્રમની સ્થાપનાકરી
- ગાંધીજી હરિજન આશ્રમમાં13- વર્ષ રહ્યાં.
- રાજા હરિશ્ચન્દ્રનાં નાટક પરથી સત્યવ્રત લીધું.
- ધર્મ પુસ્તક 'ગીતા' આધારિત જીવન જીવતા.
- ઝવેરચંદમેઘાણીને રાષ્ટ્રીયશાયર બિરુદ આપ્યું
- ગાંધીજીએ'ચંપારણમાં' પ્રથમ સત્યાગ્રહ કર્યો.
- બાપુએ મજુર મહાજન સંઘની સ્થાપના કરી.
- દેશની આઝાદીમાં મોટી અહિંસક લડત આપી
- સત્યના પ્રયોગો'એ હસ્તલિખિત પુસ્તક હતું.
- ગાંધીજી હંમેશા સોમવારે 'મૌનવ્રત' રાખતા.
- ગાંધીજી1893માં દક્ષિણ આફ્રિકા ગયાં હતા.
- 385 કિ.મી.ચાલીને 'દાંડીકૂચ' સત્યાગ્રહ કર્યો
- ગાંધીજી'ગંદકીને' દેશનો રાષ્ટ્રીય રોગ માનતા.
- ગાંધીજી હંમેશા સફેદ ખાદીના વસ્ત્રો પહેરતા.
- અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાકરી.
- વૈષ્વજનતો તેને રે કહીએ...પ્રિય ભજન હતું
- રઘુપતિ રાઘવ રાજા રામ...એ પ્રિય ધૂન હતી.
- ગાંધીજી હંમેશા કેડે એલાર્મ ઘડિયાળ રાખતા.
- અવસાન તા-30/01/1948માં દિલ્હીમાં થયું.
- "નથુરામ ગોર્ડસે"ગોળી મારીને હત્યા કરી હતી.
- ગાંધીજીનું જન્મ સ્થળ'કીર્તિમંદિર'કહેવાય છે.
- બાપુની સમાધિ રાજઘાટ'તરીકે ઓળખાય છે.
વધુ વિગત માટે : વિકિપીડિયા
.
0 Comments