પોલીટેકનિક કોલેજ વલસાડમાં ડૉ.નિરવ પટેલનુ શૈક્ષણિક પ્રવચન

 


                 તા.૨૯/૦૯/૨૦૨૨નાં રોજ વ્યસ્ત opd ના સમયે વલસાડ ગવર્મેન્ટ પોલિટેક્નિક કોલેજમાંથી ફોન આવે છે કે ભાઈ તમે બપોરે કોલેજના છોકરાઓનું લેક્ચર લેવા આવી શકો?વિષય નવો હતો,opd ઘણી હતી અને પછી સમાજના હક-અધિકારની વિશાળ રેલી હતી અને SC-ST સેલનું મહત્વ તેમજ SC-ST સમાજના સાંપ્રત પ્રશ્નો અને નિરાકરણ વિષય પર લેક્ચર આપવા માટે જાણ જ લગભગ 3 કલાક પહેલા આપવામાં આવી.

પણ જાણ કરનાર ને ના પાડી શકાય એવી વ્યક્તિ ન હતી.કરવું શું થઇ દુવિધા! આથી opd, રેલી પતાવીને અમે ડો. દિવ્યાંગી સાથે ગયા કોલેજ પર અને બધા બાળકોને જોશભેર અને ગર્વથી જોહાર બોલતા શીખવાડ્યું તેમજ સમાજમાં સંગઠિત રહેવાનું મહત્વ,કોઈપણ વિષય પર બંધારણનું કાયદાકીય જ્ઞાન હોવાનું મહત્વ,પ્રખર સમાજસેવક અને દેશભક્ત તેમજ જવાબદાર નાગરિક બનવા પર ભાર મુકવા સહિત વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ સાથે આશરે 1 કલાક કરતા વધારે ગહન ચર્ચાઓ ચાલી.જેનો અંશ.આદિવાસી ભવ્ય સાંસ્કૃતિક વારસો લોકો સુધી પહોંચાડવાનો મોકો સતત મળી રહ્યો છે તેનાથી ખુબ આનંદ છે.કાર્યક્રમનું સફળ આયોજન આચાર્યશ્રી ભાવેશભાઈ, પ્રાધ્યાપકો હેમંતભાઈ, દિવ્યેશભાઈ,કનૈયાભાઈ,ભાવિનભાઈ,ગાંવિતભાઈ,કાલરાભાઈ સહિતનાઓએ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સાથે મળીને સફળતાપૂર્વક કરેલ હતું🏹🇮🇳

લેખ : ડૉ. નિરવ પટેલ 

છાંયડો હોસ્પિટલ ખેરગામ


Post a Comment

0 Comments