ચાપલધરાનાં લકવાગ્રસ્ત નિલેશભાઈ માટે ડૉ. નિરવ પટેલની ટીમ દ્વારા સહાય



તા-૩૦-૦૮-૨૦૨૨ની રાત્રે ડૉ.નિરવ પટેલ હોસ્પિટલનાં દર્દીઓની વ્યસ્તતા વચ્ચે ગણેશચતુર્થીના ઉજવણીના માહોલમાં એક ગરીબ ઘરમાં અંધકારને પ્રેમરૂપી સહાયથી દૂર કરવા ચાંપલધરા ગામના ડુંગરી ફળીયાનાં નાથુભાઈને ઘરે પહોંચ્યા હતાં.  નાથુભાઈ એક એવા સમાજસેવક કે જેઓ સમાજના દરેક કામમાં હાજર રહ્યા, પણ એક એવા બાપ કે જેઓ પોતાના જુવાનજોધ દીકરા નિલેશભાઈ કે જેઓ લકવાગ્રસ્ત થઇ જતાં એની માંદગીમાં જિંદગીની તમામ જમાપુંજી વપરાય ગઈ હતી. ચોમાસાના પુરમાં ઘરપણ તૂટી પડેલ.ગામના સામાજિક આગેવાન રાજુભાઈ અને સરપંચ ચીમનભાઈએ ફોન દ્વારા ડૉ. નિરવ પટેલનો સંપર્ક કરી નાથુકાકા માટે મદદ માટે અપીલ કરી હતી. જ્યારે સરપંચશ્રી ચીમનભાઈ દ્વારા ફોન પર ડૉ. નિરવ પટેલને કહ્યું  કે, " તમે ટ્રસ્ટ ચલાવો છો તો આ નાંથુકાકા માટે તમારા ટ્રસ્ટમાંથી કંઇક મદદ કરજોને ?"  ત્યારે ડૉ. નિરવ પટેલે  હસતા -  હસતા કહ્યું હતું કે, "મારું ટ્રસ્ટ હું પોતે એકલો જ સાંભળું છું. મતલબ કે મારું કોઈ ટ્રસ્ટ નથી.અને કોઈની પાસે માંગણી કરતો નથી. જે મદદ કરું છું  તે સ્વખર્ચે કરું છું તેવું કહ્યું હતું. અને હવે હું મારી રીતે તપાસ કરાવી લઉં અને genuine કેસ હશે તો અમારાથી બનતી મદદ માટે ચોક્કસથી આવી જઈશું."

અને તેઓ તા ૩૦-૦૮-૨૦૨૨ની રાત્રે આખા રાજ્યની ટીમના કેપ્ટનશ્રી ડો. પ્રદીપભાઈ ગરાસિયા સાથે કૌશિકભાઈ ગરાસિયા,કુંજન ઢોડિયા,એસી જિમ્મી,મિન્ટેશ પટેલ,કીર્તિ પટેલ, દલપત પટેલ, ભાવિન, ઉમેશ, નિમેષ, પ્રિન્સ, મયુર, ભાવેશ,કાર્તિક,વિકાસ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કીટ વિતરણ કર્યું  હતું. ગામના આગેવાનોનું કહેવું હતું કે : "સમાજ માટે આટલુ દોડવા છતાં પણ સમાજ મદદ કરવામાં ઉણો ઉતર્યો."   જયારે ચાંપલધરા રાજપૂત સમાજ દ્વારા બનતી મદદ કરવામાં આવી હતી.

        જ્યારે ત્યાં જઈને જોયું તો, પરિસ્થિતિ ખરેખર દુઃખદ હતી. નિલેશભાઈ 35-40 વચ્ચેની ઉંમરનાં હશે પણ લકવાને લીધે 1.5 વર્ષ ઉપરાંત થવા છતાં બોલવા-ચાલવામાં તકલીફો અનુભવતા હતાં. જે આપ વિડીઓમાં જોઇ શકો છો.






Post a Comment

0 Comments