કર્મચારીઓ માટેની ઘડપણનો સહારો એટલે પેન્શન. સરકારના દરેક કર્મચારીઓ સરકાર માટે પૂરી નિષ્ઠાથી આખું જીવન હોમી દે છે. જ્યારે નિવૃત્તિ પછી એનો એકજ સહારો એટલે પેન્શન. હાલમાં નવી પેન્શન અંતર્ગત નિવૃત્ત થતાં કર્મચારીને જૂની પેન્શન યોજના લાભાર્થીના બદલામાં પા ભાગનું અથવા તેના કરતું ઓછું પેન્શન મળવાપાત્ર થાય છે. જે હાલની મોંઘવારીમાં મશ્કરી સમાન ગણાય. માટે જૂની પેન્શન યોજનાની વ્યાજબી માંગણી કરી રહ્યા છે.
"કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ માટે શ્રી કલ્પેશભાઈ પટેલ ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય દ્વારા સમર્થન જાહેર કરવા બદલ કર્મચારી વતી શ્રી કલ્પેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવે છે."
0 Comments