ધરમપુર તાલુકાના પેણધા ગામના 2 પૂરપીડિત પરિવારોને છાંયડો હોસ્પિટલના સ્થાપક ડૉ.નિરવ પટેલ અને ધરમપુર તાલુકાના સામાજિક આગેવાન,પત્રકાર સુરેશભાઈ પટેલ દ્વારા સહાય.

 

     
     તારીખ-૨૮-૦૮-૨૦૨૨નાં દિને છાંયડો હોસ્પિટલના સ્થાપક ડૉ.નિરવ પટેલ અને તેમની ટીમ વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાના વનરાજી અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા પેણધા ગામના 2  પૂરપીડિત પરિવારોને ઘરે મુલાકાત લીધી હતી. જેની જાણકારી ધરમપુર તાલુકાના સામાજિક આગેવાન અને પત્રકાર  સુરેશભાઈ પટેલે ડૉ.નિરવ પટેલને આપી હતી.  આ બે પરિવારોના ઘરો વરસાદમાં તૂટી પડ્યા હતાં. ઘર બનાવવા માટે નબળી આર્થિક પરિસ્થિતિને લીધે સંઘર્ષ કરી રહેલ હતાં, તેમાં એવું એક પરિવાર કે જેમાં વયોવૃદ્વ દાદા કે જેને બોલવામાં,ચાલવામાં અને સાંભળવામા તકલીફ છે અને દાદી પણ માંડ પોતાનું કામ કરી શકે છે.                     

 સુરેશભાઈ પટેલ તેમના મિત્રો સાથે મળીને થાંબલી અને પતરા મુકાવી આપ્યા. જ્યારે  ડૉ.નિરવ પટેલે અનાજ કરીયણાની મદદ કરી હતી. 

લીલીછમ વનરાજીમા ગરીબ હોવા છતાં તેમની લાગણીશીલ સહૃદયી આગતા-સ્વાગતા સૌનું મન મોહી લીધું હતું. તેમની ટીમમાં હોસ્પિટલના વોર્ડબોય મયુરભાઈ, મીંતેશભાઈ,દલપતભાઈ,ભાવેશભાઈ, ભાવિનભાઈ,મયુરભાઈ અને કપરાડાનાં છાત્રનેતા દિવ્યેશભાઈ હાજર રહ્યા હતા.


      🏹 જય જોહાર🏹 વંદે માતરમ્                      

Post a Comment

0 Comments