.
આ બ્લોગમાં નીતિનભાઈ જાનીના લોકસેવાના કાર્યો જે મારા દિલમાં સ્પર્શી ગયા હોય તેને લોકો સુધી પહોંચાડવું મારું ધ્યેય છે. તેમનાં કાર્યોનું શ્રેય ફકત તેમનાં ફાળે જ જવું જોઈએ. આવુ સરસ સેવા કરનારા સમાજમાં બહુ ઓછાં જોવા મળે છે. આપણાથી કઈ નહિ થાય તો વાંધો નથી, પણ તેમનાં કાર્યોને બિરદાવી તો શકીએ !! જો બિરદાવવા માટે આપણી પાસે શબ્દો ન હોય તો સ્વાર્થી કહેવાઈએ. વૃદ્ધો,ગરીબ, લાચાર, નિ:સહાય અને ઘરવિહોણા પરિવારોની નિસ્વાર્થ સેવા કરનાર ખજૂરભાઈ કોટી કોટી વંદન....
નીતિનભાઈ જાની(ખજૂરભાઈ)ના લોકસેવાના કાર્યો દિપાવતા વિડિયો આ બ્લોગમાં મૂકવામાં આવેલ છે.
નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈનો પરિચય
નીતિન જાની તેમના ભાઈ તરુણ જાની સાથે કામ કરી રહ્યા છે અને તેમની પાસે જાની બ્રધર્સ ફિલ્મ પ્રોડક્શન નામનું પ્રોડક્શન છે. તેઓએ ઘણી બધી ફિલ્મો અને શોનું દિગ્દર્શન, નિર્માણ અને લેખન કર્યું છે. નીતિન અને તરુણ છેલ્લા 10 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તેઓએ તાજેતરમાં આવુજ રેશે નામની એક ગુજરાતી ફિલ્મ બનાવી છે જેણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારો દેખાવ કર્યો છે. નીતિન જાનીએ "જીગલી અને ખજુર", "ખજુર ભાઈ", "જીગલી અને ખજુર VLOG", અને "ખજુર ભાઈ ની મોજ" નામની પોતાની YouTube ચેનલ શરૂ કરી. તે સોશિયલ મીડિયા પ્રભાવક છે અને સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઈંગ છે. તેની યુટ્યુબ ચેનલ ખજુરભાઈ પર તેના 1.16 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. ટિક ટોક પર તેના 1.8 મિલિયન ફોલોઅર્સ પણ છે. તે Instagram પર પણ ખૂબ જ લોકપ્રિય છે અને તેના Instagram પર 130 K ફોલોઅર્સ છે (એપ્રિલ 2020 માં).
આજે સમાજમાં પોતાનું સંતાન પોતાના માબાપની કાળજી ન રાખી શકે તે વૃદ્ધોની કાળજી કામ ખજૂરભાઈ કરી રહ્યા છે. જે સન્માનીય છે. પ્રભુ એમને સેવાકાર્યને આગળ વધારવા બળ પૂરું પાડે.
અત્યાર સુધી બનાવ્યા 200થી વધુ ઘર
લોકોની નિઃસ્વાર્થ મદદ અને સખત મહેનતના કારણે આજે નીતિન જાની આજે ગુજરાતમાં ખૂબ મોટુ નામ બની ગયા છે. કોમેડી વીડિયો દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરનાર ખજૂરભાઈએ છેલ્લા થોડા સમયથી હજારો લોકોની મદદ કરી છે અને તૌકતે વાવાઝોડુ જ્યારે ગુજરાત પર ત્રાટક્યુ હતું તેમાં ઘર ગુમાવનાર લોકોને મદદ કરવા માટે અત્યાર સુધી તેમણે લગભગ 200 જેટલા ઘર બનાવ્યા છે.
0 Comments